મનપાના ૨૨ સફાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામા મંજુર : ૨૨ વારસદારોને પદાધિકારીઓના હસ્તે નિમણુંક પત્ર એનાયત
રાજકોટ : મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદાર તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને મેડીકલ તપાસમાં કામ કરવા માટે અશક્ત જાહેર થાય તેવા સંજોગોમાંᅠસ્વૈચ્છિક રાજીનામુ આપનાર સફાઈ કામદારના આશ્રિત વારસદારને રહેમરાહે નોકરી આપવાની પ્રથા અમલમાં છે. ત્યારે શારીરિક અશક્ત સબબ સ્વૈચ્છિક રાજીનામુ આપનાર ૨૨ સફાઈ કામદારોના રાજીનામાં મંજુર કરવામાં આવેલ અને આ સફાઈ કામદારના ૨૨ આશ્રિત વારસદારને રહેમરાહે નોકરીના નિમણુંકપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશ્નર એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઇ પરમાર, આસી.મેનેજર મનિષભાઈ વોરા, સફાઈ કામદાર યુનિયનના હોદેદાર મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા તથા અન્ય હોદેદારો ઉપસ્થિત રહેલ. નોકરી મેળવનાર તમામ લાભાર્થીઓને પદાધિકારીઓ, અધિકારીઓ અને યુનિયનના આગેવાનોના હસ્તે નિમણુંકપત્ર એનાયત કરવામાં આવેલ