રાજકોટ
News of Friday, 29th June 2018

કાલાવડ રોડ બીસપ હાઉસ પાસે ડો. આંબેડકરજીની પ્રતિમાના સ્‍થળાંતર મામલે ટોળા એકત્રીત થયાઃ પોલીસ દોડી ગઈ

રાજકોટ :. શહેરના કાલાવડ રોડ પર આવેલ બીસપ હાઉસ પાસેના મેદાનમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાના સ્‍થળાંતર અંગેની વાતો વહેતી થતા આજે બપોરે સ્‍થળ પર લોકોના ટોળા એકત્રીત થયા હતા. આ દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ સ્‍થળ પર પહોંચી અને લોકોને સમજાવ્‍યા હતા. દરમિયાન પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી અને મામલો થાળે પડયો હતો તથા આંબેડકરજીની પ્રતિમા જે તે સ્‍થળે યથાવત જોવા મળી હતી (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:41 pm IST)