રાજકોટ
News of Friday, 29th June 2018

આત્મન યુવા ગ્રૃપની દસમી વર્ષગાંઠ મહોત્સવઃ શિક્ષણ જાગૃતિ નાટક-ભજન સંધ્યા

 રાજકોટઃ તા.૨૯, આત્મન યુવા ગ્રૃપને ૧૦ વર્ષ પુર્ણ થતાં વર્ષગાંઠ મહોત્સવનું આયોજન તા.૧જુલાઇને રવિવારે રાત્રે ૮ વાગે ડો. આંબેડકર ભવન દાસીજીવણપરા નાના મૌવા મેઇન રોડ ખાતે યોજવામાં આવશે.

 આ કાર્યક્રમ માત્ર ઉજવણી પુરતો મર્યાદીત ન રાખીને સમાજને કંઇક નવો મેસેજ આપવાના ઉદેશ સાથે ડો. ભીમરાવ એજયુ સેન્ટરના વિદ્યાર્થીઓ વ્યસનમુકિત અને શિક્ષણ જાગૃતિ વિષય પર લઘુનાટક  રજુ કરશે. તેમજ ભજન સંધ્યા પણ રાખેલ છે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રૃપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ (મો.૯૮૨૫૬ ૭૦૧૬૬), નિલેશ ગોહિલ, પથિક બગડા, ઇશ્વર વાણિયા, નયનાબેન રાઠોડ, શારદાબેન પરમાર, નિલેશભાઇ પરમાર, અમીતભાઇ રાઠોડ, મયુરભાઇ રાઠોડ અને વિશાલભાઇ મકવાણા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક  બગથરીયા)

(4:20 pm IST)