રાજકોટ
News of Friday, 29th June 2018

ધરણામાં રાજીવ સાતવ-અમિત ચાવડા સહિતના પ્રદેશ નેતાઓ હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્કો

રાજકોટ : આજે રાજકોટમાં યોજાયેલ કોંગ્રેસ કિશાન સેલના ધરણામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અીમત ચાવડા તથા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ હાજરી આપનાર હતા, પરંતુ તેઓ ઉપસ્થિત નહીં રહેતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હતાં.

કોંગી વર્તુળોમાં એવી ચર્ચા જાગી હતી કે હાલમાં શહેર કોંગ્રેસમાં જુથવાદ સળગ્યો છે. ઇન્દ્રનીલ જુથમાં રાજીનામા પડી રહ્યા છે અને જયારે પક્ષે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતના જુથના કોર્પોરેટરો-એકબીજા વિરૂદ્ધ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને રજૂઆત કરવાની તૈયારી કરીને બેઠા હતાં આથી પસ્થિતિ પામી ગયેલા ઉપરોકત બન્ને આગેવાનોએ રાજકોટ આવવાનું ટાળ્યું હોવાની ચર્ચા છે.

(3:52 pm IST)