જો કિસાન હીત કી બાત કહેંગા, વો હી દેશ પર રાજ કરંેગા
રાજયમાં ખેડુતોને થઇરહેલા અન્યાયને વાચા આપવા આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા શહેરના ત્રીકોણબાગ ખાતે સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતવિધાની સભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કુંવરજીભાઇ બાળીયા, હર્ષભાઇ રીબડીયા, અગ્રણી મહિલા ચંદ્રિકાબેન ચુડાસમા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારાસભ્ય જવાહર ચાવડા, લલીત વસોયા, વાંકાનેરના ધારાસભ્ય પીરજાદા, રાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત તથા પુર્વ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ આગેવાન અર્જુન ખાટરીયા તથા શહેર કોંગ્રેસના અગ્રણી પ્રદીપભાઇ ત્રીવેદી સહિતના આગેવાનો, અગ્રણી તથા સમગ્ર સૌરાષ્ટ્રભરનાં કાર્યકર્તાઓ ઉપસિથત રહી ખેડુતોના પ્રાણ પ્રશ્નોને લઇને ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા તે વખતની તસ્વીર. વિસાવદરના ઘારાસભ્ય અને કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ હર્ષદભાઇ રીબડીયા હળ સાથે આવ્યા હતા અને મંચ પર ખંભે હળ રાખીને બેસી ગયા હતા ધરણામાં ઇશ્વર અલા તેરો નામ, વિજય અને મોદી કો સદબુધ્ધિ દે ભગાનની ધુન બોલાવામાં આવી હતી. તેમજ મગફળી કોંભાંડને લઇને કોંગ્રેસના કાર્યકરોએ મગફળી ઢોળી વિરોધ કર્યો હતો જે તસ્વીરમાં નજેર પડે છે.(તસ્વીર : સંદિપ બગથરીય)