જળમુખી મિત્ર મંડળ દ્વારા છાસ વિતરણ
કાળજાળ ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડક કરાવવા જળમુખી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલ ઠંડી મસાલા છાસ વિતરણનું આયોજન કરાયુ હતુ. મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષીણીના પ્રયાસોથી શ્રી જલારામ બાપાના છાસ પરબ સમાન આ કેન્દ્ર પર ગત રવિવારે મહીલા મંડળના બહેનોએ પણ વિતરણ કાર્ય સંભાળ્યુ હતુ. કાર્યક્રમનું દિપપ્રાગટય શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના હસ્તે કરાયેલ. આ પ્રસંગે પૂર્વ મેયર જનકભાઇ કોટક, પ્રખર ધારાશાસ્ત્રી તુલસીદાસ ગોંડલીયા ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષીણી, બાલાભાઇ રાવ, નીતિન સાતા, જીતુભાઇ શીંગાળા, જતીન દક્ષીણી, સુરેશભાઇ પૂજારા, કૌશિકભાઇ શિશાંગીયા, કાનાભાઇ કેળાવાળા, મચ્છાભાઇ, કિશોરભાઇ સોમૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.