પટેલ પરિવાર પ્રેરીત
પૂ. પદ્માજી મહાસતીજીના ૯૯મી વર્ધમાન ઓળી તપના પારણા ઉજવાયા
રાજકોટઃ તા.૨૯, ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સેવાભાવી પૂ. નિર્મળાબાઇ મ.સ.ના પરિવારના પૂ. પદ્માજી મ.સ.ના વર્ધમાન તપની ૯૯મી આયંબિલ ઓળીના પારણા અને આચાર્ય પૂ. જસાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે ચાલતાં સમુહ વરસીતપના અતરણપારણાનું આયોજન વિસાશ્રીમાળી વાડી ખાતે પડધરીવાળા ધીરજબેન પ્રભુલાલ પટેલ પરિવારના નવીનભાઇ, સુભાષભાઇ, સતીષભાઇ, મુકેશભાઇ પટેલ તરફથી કરવામાં આવેલ.
આ પ્રસંગે સાધ્વીજી પૂ. વિમલાજી મ.સ. ઠાણા-૩, પૂ. ઉષાજી મ.સ., પૂ. પ્રવિણાજી મ.સ., પૂ. સરોજજી મ.સ., પૂ. હર્ષિદાજી મ.સ. પૂ. સ્વાતિજી મ.સ. આદિ તથા અજરામરના પૂ. ગીતા કુમારીજી મ.સ., પૂ. કમલપ્રભાજી મ.સ.પરિવાર પર્ધાયા હતા.
કરણપરા ચોકથી સામૈયું વાડીમાં પહોંચ્યા બાદ પટેલ પરિવારના બાળકોએ તપધર્મનો જય જયકારના જયનાદે આવકાર્યા બાદ પૂ. જીજ્ઞાજી મ.સ. એ સાપ્તાહિક સ્મરણ જાપ કરાવેલ. કાવ્યન, આર્જવ પટેલ તપની મહત્તા દર્શાવ્યા બાદ પુત્રવધુ અને પુત્રીઓએ ગીત પ્રસ્તુત કરેલ. સુત્ર સંચાલન સતીષ પટેલ અને શુભેચ્છા પ્રવચન ઇશ્વરભાઇ દોશી, તપોવનના ટ્રસ્ટી મુકેશ પટેલ, આફ્રિકાના વિરેન દોશી વગેરેએ કરેલ.
ધીરજબા પટેલનું સન્માન વીરેનભાઇ દોશી, માલતીબેન આશરાએ કરેલ. રજનીભાઇ બાવીસી, શશીકાંત વોરા, જયંતભાઇ ભરવાડા, શીરીષભાઇ બાટવીયા, જગદિશ કોઠારી, કિર્તી શેઠ, વિનુભાઇ મારફતીયા, નંદલાલ કામદાર, જે.એમ. પટેલ, રમેશભાઇ પટેલ, દિલીપભાઇ ગાંધી મોટા સંઘના કાર્યકરો વગેરે ઉપસ્થિત રહેલ.