News of Tuesday, 29th May 2018
પોપટપરામાં કામ ધંધો ન ચાલતા ઇમરાન ચૌહાણનો ઝેર પી આપઘાત
રાજકોટ તા. ર૯ :. પોપટપરામાં કામ ધંધો બરાબર ન ચાલતા મુસ્લીમ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં. ૪ માં રહેતા ઇમરાન મહેબુબભાઇ ચૌહાણ (ઉ.૩૦) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ઇમરાન ત્રણ ભાઇ એક બહેનમાં નાનો હતો. ે ડ્રાઇવીંગ કરતો હતો. તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. કામ ધંધો બરાબર ન ચાલતો હોઇ, તેથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા તથા શકિતસિંહ તપાસ હાથ ધરી છે.
(2:42 pm IST)