જાનકી પાર્કમાં સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરતા શ્યામ ગોહેલને પકડી કાર્યવાહી કરતી માલવીયાનગર પોલીસ
રાજકોટઃ પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમીશનર મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા મદદનીશ પો.કમિશનર જે.એસ.ગેડમ દક્ષીણ વિભાગના માર્ગદર્શન હેઠળ હાલમાં કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સુચનો મુજબ અનલોક-૧૧ નું જાહેરનામુ બહાર પડાયેલ હોય જે જાહેરનામામાં રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામામાં સુધારા જાહેર કરેલ હોય જે દરમ્યાન રાજકોટ જાનકી પાર્ક મેઇન રોડ ઉપર આવેલ બોસ સ્પાના સંચાલક દ્વારા તેનુ સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરતા જણાઇ આવતા સંચાલક શ્યામ જયનારાયણભાઇ ગોહેલ ઉ.વ.૨૬ રહે. સરકારી કોલોની શેરી નં-૨, રૈયા સર્કલ પાસે, રાજકોટ વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા દીપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા તથા હીતેષભાઇ અગ્રાવત સહિતે કરી છે.