મ્યુ.કોર્પોરેશન તંત્ર સજ્જ: શહેરના માધાપર ચોકડી થી સિવિલ હોસ્પિટલ સુધીનો સમગ્ર રોડ - વિવિધ સ્થળોએ તથા ટીપરવાન પર છંટકાવ કરાયો
રાજકોટ: કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરના માધાપર ચોકડી થી સિવિલ હોસ્પિટલ સુધીનો સમગ્ર રોડ તથા મનપાની તમામ ટીપરવાન સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આ અંગે મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં માધાપર ચોકડી થી સિવિલ હોસ્પિટલ ચોક સુધીનો સમગ્ર રોડ તથા આજુબાજુના વિસ્તાર, મનપાની તમામ ટીપરવાન, જંકશન વિસ્તાર, પોપટપરા, પથિકાશ્રમ પર આવેલ નાયબ મ્યુનિ. કમિશ્નર શ્રી પ્રજાપતિનો બંગલો અને નાયબ કલેક્ટરનો બંગલો તથા આજુબાજુના વિસ્તાર, રેસકોર્સ અને બહુમાળી ભવન પાસે આવેલ સરકારી ક્વાર્ટર્સ તેમજ અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે.
આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.