રાજકોટ
News of Saturday, 29th January 2022

કાલે તમામ વોર્ડના શક્‍તિ કેન્‍દ્રો પર નરેન્‍દ્રભાઇની ‘મન કી બાત'

રાજકોટ તા. ૨૯ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે દર માસના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્કો પર રજુ થતો ‘મન કી બાત' કાર્યક્રમ કાલે તમામ વોર્ડના શક્‍તિ કેન્‍દ્રો પર સવારે ૧૧.૩૦ કલાકે માણી શકાશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં લાભ લેશે. આ માટે મહાનગર કક્ષાએ વિરેન્‍દ્રસિંહ જાલાને તથા વિધાનસભા-૬૮ માં અશોક લુણાગરીયાને, ૬૯ માં પરેશ હુંબલને, ૭૦ માં દીવ્‍યરાજસિંહ ગોહિલને તેમજ ૭૧ માં રાજુભાઇ બોરીચાને જવાબદારી સોંપાઇ  છે. તેમજ તમામ વોર્ડમાં વોર્ડ પ્રભારી વોર્ડ પ્રમુખ જવાબદારી સંભાળશે.


 

(4:13 pm IST)