રાજકોટ
News of Saturday, 29th January 2022

મ્‍યુ.કર્મચારી પરેશ જોશી આત્‍મહત્‍યાકાંડમાં તંત્ર સત્‍ય હકીકત બહાર લાવેઃ શુકલ- જાની

રાજકોટઃ થોડા સમય પહેલા ઉપરી અધિકારીઓના ત્રાસથી રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના કર્મચારી પરેશ જોશીએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ બનાવમાં સત્‍ય હકીકત બહાર લાવવા પૂર્વ કોર્પોરેટર અને બ્રહ્મસમાજના અગ્રણી શ્રી કશ્‍યપ શુકલ તથા શ્રી દર્શીત જાનીએ એક નિવેદનમાં જણાવ્‍યું છે.
તેઓએ જણાવેલ કે ઉકત મામલામાં મ્‍યુનિસીપલ કોર્પોરેશનના અનેક અધિકારીઓ ફસાયા છે. હજુ વધુ અધિકારીઓના નામ બહાર ન આવે તે માટે તંત્ર સાથે લાખો રૂપિયાના સેટીંગ પણ થયાની ચર્ચા છે. જેથી પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ આ મામલે યોગ્‍ય તપાસ કરાવી અને આ બનાવમાં સંકોવાયેલાઓને કડકમાં કડક સજા ફટકારે તેવી માંગણી શ્રી કશ્‍યપ શુકલ અને શ્રી દર્શીત જાનીએ કરી છે.

 

(2:56 pm IST)