કાલે મોહનભાઈ કૂંડારીયાના જન સુવિધા કેન્દ્રનો પ્રારંભઃ વિજયભાઈની હાજરી
તમામ શ્રેણીના કાર્યકરોને ઉપસ્થિત રહેવા હાકલ
રાજકોટ,તા.૨૯: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારની લોકહીતકારી અને લોકકલ્યાણકરી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને આ યોજનાઓથી લોકો માહિતગાર થાય તેમજ સરકારી તંત્ર અને પ્રજા વચ્ચે સંપર્ક સેતુ જળવાઈ રહે એ માટે આવતીકાલે તા.૩૦ના ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકે એમેઝોન બીલ્ડીંગ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેંજ સામે, પાણીના ટાંકા પાસે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ થશે.
આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉમટી પડવા યાદીના અંતમાં જણાવાયું છે.(૩૦.૮)