રાજકોટ
News of Tuesday, 17th July 2018

હરિ સોસાયટીના ભીખુભાઇ તેરૈયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર હરિ સોસાયટી-૧માં રહેતાં ભીખુભાઇ બચુભાઇ તેરૈયા (ઉ.૬૨) નામના બ્રાહ્મણ વૃધ્ધ રાત્રે સાડા બારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને રાજદિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. લાંબા સમયથી બિમાર હોઇ પથારીવશ હતાં. સંતાનમાં એક દિકરી છે.

(12:26 pm IST)