રાજકોટ
News of Wednesday, 28th October 2020

મોરબીમાં કાલે રાજકોટ ભાજપ મહીલા મોરચા દ્વારા સંપર્ક કાર્ડનું વિતરણ કરાશે

રાજકોટ તા. ૨૮ : આગામી તા. ૩ ના યોજનાર મોરબી વિધાનસભા ચુંટણીમાં ભાજપના બ્રીજેશભાઇ મેરજાને જીતાડવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ આજે ડોર ટુ ડોર લોકસંપર્ક કરાયો હતો. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સભા સંબોધી હતી.

દરમિયાન કાલે તા. ૨૯ ના ગુરૂવારે રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયાની આગેવાની હેઠળ તમામ વોર્ડમાં કોન્ટેક કાર્ડનું વિતરણ કરાશે. પ્રચાર કાર્યના હવે છેલ્લા તબકકામાં બુથ મીટીંગ, નવા કાર્યાલય ઉદ્દઘાટન, ડોર ટુ ડોર સંપર્ક, પત્રિકા વિતરણ સહીતનું કાર્ય હાથ ધરાશે. તેમ એક યાદીના અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.

(3:43 pm IST)