રાજકોટ
News of Wednesday, 28th October 2020

સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એ.સી. બંધ હાલતમાં : દર્દીઓ હેરાન પરેશાન

કાઉન્સેલર જયંત ઠાકર દ્વારા હોસ્પિટલ અધિક્ષકને રજુઆત

રાજકોટ તા. ૨૮ : અહીંની પી.ડી.યુ. સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એ.સી. બંધ હોય દર્દીઓને પડતી હાલાકી અંગે હોસ્પિટલો કાઉન્સેલર જયંત ઠાકરે હોસ્પિટલ અધિક્ષક ડો. પંકજભાઇ બુચને રજુઆત કરી છે.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ વિભાગમાં એ.સી. નાખવામાં આવતા પંખા પણ દુર કરી નખાયા છે. એ.સી. બંધ હાલતમાં હોવાથી દર્દીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. દિવસ ત્રણમાં આ વિભાગના તમામ એ.સી. ચાલુ ન થાય તો ઉગ્ર રજુઆતની ચીમકી અંતમાં જયંત ઠાકરે ઉચ્ચારી છે.

(3:11 pm IST)