વોર્ડ નં.૧ના વિવિધ વિસ્તારો પેવિંગ બ્લોકથી મઢાશેઃ શહેર ભાજપ પ્રભારી અંજલીબને રૂપાણી મેયર બિનાબેન આચાર્યને હસ્તે ખાતમુહુર્ત
રાજકોટ : શહેરના વોર્ડ નં.૧ના વિસતારો સત્યનારાયણનગર, કષ્ટભજન સોસાયટી, લાભદીપ સોસાયટી, અક્ષરનગર, ગૌતમનગર, હરીઓમ સોસાયટી, ગાંધીગ્રામ (૧૧-૧ર) વિગેરે વિસ્તારોમાં વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાં ૧.૭પ કરોડના ખર્ચે થનાર પેવિંગ બ્લોક કામનું ખાતમુુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. રાજકોટના મેયર બિનાબેન આચાર્યની મુખ્ય મહેમાન તરીકે તથા વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઇ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે હિતેશભાઇ મારૂ, જયરાજસિંહ જાડેજા, રામદેવભાઇ આહીર, દેવાયતભાઇ ડાંગર, હેમંતભાઇ બોરીચા, કાળુભાઇ સતવારા, દિનેશભાઇ સતવારા, મનજીભાઇ સતવારા, યુવરાજસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણભાઇ જેઠવા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઇ શુકલ, ભારતીબેન રાવલ, મુમતાઝબેન અશોકભાઇ વાણીયા, જગદીશભાઇ રાજુભાઇ સવનીયા, અશ્વિનભાઇ પ્રજાપતિ, સુરેશભાઇ સંચાણીયા, નરસંગભાઇ લોકીલ, જયરાજભાઇ રાઠોડ, હરિભાઇ લોકીલ, રાજકોટ મહાનગરપાલિકાના ડે. એન્જીનીયર વાઘેલા, એ.એ.સોલંકી, સચિન ચૌધરી, શકલભાઇ લોહાણા, વિજયભાઇ સીયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.