શ્રી રુદ્રશકિત ક્ષત્રિય મહિલા સંસ્થાન દ્વારા ક્ષાત્રધર્મ સંસ્કાર સિંચન શિબિર
રાજકોટઃ શ્રી રુદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન, રાજકોટ દ્વારા ક્ષાત્રધર્મ સંસ્કાર સિંચન શિબિર અર્થે સેમિનાર નું આયોજન કરવામાં આવેલ. ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજના યુવાવર્ગ તથા આવનારી પેઢીને ધ્યાનમાં લઈને ક્ષત્રિયધર્મ નો વારસો અને સંસ્કાર વિસરાઈ નો જાય તે બાબત ને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવેલ, જે તા.૨૬-૯-૨૧ ને રવિવારના રોજ બપોરે સમય ૨.૩૦ થી ૬.૦૦ કલાક દરમિયાન શ્રીમતી ધનકુંવરબા ક્ષત્રિય કન્યા ગુરુકુળ, લીંબડી ખાતે પ્રમુખશ્રી માયાબા જાડેજા ના અધ્યક્ષ સ્થાન નીચે સફળતાપૂર્વક સંપન્ન થયેલ, જેમાં વિદ્યાલયના સંચાલક શ્રી બા શ્રી જશુબા હાજર રહેલ તથા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી ઓ શ્રી નરેન્દ્રસિંહ એન. ઝાલા,શ્રી જોરાવરસિંહ કે. ઝાલા તથા શ્રી વિરેન્દ્રસિંહ ડી.રાણા ની હાજરી રહેલ તથા લીંબડી નજીક રહેતા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ એ પણ ભાગ લીધેલ, આ તમામ લોકોનો રુદ્રશકિત દ્વારા આભાર વ્યકત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ડાઙ્ખ. રેખાબા રાણા , ડાઙ્ખ. ભાર્ગવીબા ગોહીલ,કુમારી કૃતિકબા ઝાલા, બા શ્રી રમણીકબા વાળા, બા શ્રી હેતલબા ઝાલા,કુમારી એકતાબા ઝાલા તથા બા શ્રી સુલેખાબા જાડેજા રહ્યા હતા. સાથે બા શ્રી કોકિલાબા જાડેજા, બા શ્રી નયનાબા જાડેજા(સણોસરા), બા શ્રી નયનાબા જાડેજા (પાચાસરા),બા શ્રી ગીતાબા ચુડાસમા,બા શ્રી નીતાબા રાણા, બા શ્રી ઉર્વશીબા ઝાલા,બા શ્રી કીરણબા ઝાલા તથા બા શ્રી વૈશાલીબા ઝાલા એ હાજરી આપી હતી.