News of Friday, 28th September 2018
મનોહરસિંહજીના નિધનથી રાજકોટે મૂલ્યનિષ્ઠ રાજનિતિજ્ઞ ગુમાવ્યાઃ ઉદય કાનગડ
રાજકોટના પૂર્વ રાજવી અને પૂર્વ મંત્રીને શ્રધ્ધાસુમન પાઠવતા સ્ટેન્ડીંગ ચેરમેન
રાજકોટ, તા. ૨૮ :. શહેરના પૂર્વ રાજવી અને ઠાકોર શ્રી મનોહરસિંહજી જાડેજાનું દુઃખદ અવસાન થતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે સદ્ગતને શ્રધ્ધાસુમન પાઠવતા જણાવેલ છે કે સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા એક સારા પાર્લામેન્ટરીયન હતા. રાજ્યના ખૂબ જ અભ્યાસુ પૈકી એક ધારાસભ્ય તરીકે તેમની ગણના થતી હતી. તેઓ એક સારા મૂલ્યનિષ્ઠ રાજનીતીજ્ઞ, ઉમદા અભ્યાસુ, ખૂબ સારા ક્રિકેટર અને એક સારા કવિ હતા. તત્કાલીન ગુજરાત સરકારમાં જુદા જુદા વિભાગના મંત્રી તરીકે ખૂબ સારા પ્રજાલક્ષી નિર્ણયો લીધેલ હતા. તેમના અવસાનથી રાજકોટ શહેરે એક અગ્રીમ હરોળના આગેવાન અને વિચક્ષણ રાજકારણી ગુમાવ્યા છે ઓમ શાંતિ... ઓમ શાંતિ...
(4:33 pm IST)