જંગલેશ્વરમાં દુકાને ખોટી રીતે હેરાન કરવા નહિં આવવાનું કહેતા આશીફભાઇ સમા પર હુમલો
નામચીન બુટલેગર રમાનો પુત્ર સંંજલો ઉર્ફે સંજય અને સતાર મેંગણી સામે ગુનો
રાજકોટ તા. ર૮: જંગલેશ્વર શેરી નં. ૧૮માં રહેતા મુસ્લીમ યુવાનને દુકાને ખોટી રીતે હેરાન કરવા નહિં આવવાનું કહેતા નામચીન મહિલા બુટલેગરનો પુત્ર સહિત બે શખ્સોએ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં.૧૮માં રહેતા આશીફભાઇ અહેમદભાઇ સમા (ઉ.વ. ૩૩) ગઇકાલે જંગલેશ્વર મેઇન રોડ પર પોતાની કાજલ પાન નામની દુકાને હતા ત્યારે જંગલેશ્વરનો સતાર મંગણી અને મહિલા બુટલેગર રમા સંધીનો પુત્ર સંજલો ઉર્ફે સંજય તેની પાસે આવી દુકાન બંધ કરી દેવાનું કહેતા આશીફભાઇએ બંનેને પોતાની દુકાને ખોટી રીતે હેરાન કરવા નહિં આવવાનું કહેતા તે બાબતનો ખાર રાખી બંને ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આશીફભાઇ સમાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. મયુરભાઇ મીયાત્રાએ તપાસ હાથ ધરી છે.