News of Friday, 28th September 2018
હોસ્પિટલમાં ફલાય ઓવર બનાવો ત્યારે ડો. આંબેડકરજીની પ્રતિમાનું સ્થળાંતર જરૂરી
રેસકોર્ષ અથવા શાસ્ત્રીમેદાનમાં બાબા સાહેબની પ્રતિમાનું સ્થળાંતર કરવા સ્વયં સૈનિક દળનું સુચન
રાજકોટ તા.૨૭: શહેરનાં હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ બનાવવાનો નિર્ણય મ્યુ.કોર્પોરેશન દ્વારા લેવાયો છે ત્યારે આ ચોકમાં આવેલી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાનું સ્થળાંતર કરવા સ્વયં સૈનિક દળે મ્યુ.કોર્પોરેશનને રજુઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે ''હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બનવાથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઢંકાઇ જશે. એટલું જ નહિં જગ્યામાં સંકડાસ વધશે અને ગંદકી ફેલાશે જે દેશની વીર વિભૂતિની અવગણના સમાન થશે. આથી આવુ ન થાય તે માટે ડો. આંબેડકરની પ્રતિમાનું શાસ્ત્રીમેદાનમાં એસ.બી.એસ. જીમખાનાનાં ખુણા ઉપર અથવા રેસકોર્ષમાં શિવાજી ગાર્ડનનાં સ્થળે સ્થળાંતર કરવા રજૂઆતો કરી છે.
(4:08 pm IST)