રાજકોટ
News of Wednesday, 28th July 2021

આમ્રપાલી અન્ડરબ્રીજના સાંધાની તિરાડમાંથી ધોધ છુટયાઃ પાણી ભરાયુ

રાજકોટઃ શહેરમાં નવો નકોર બનાવાયેલ આમ્રપાલી અન્ડરબ્રીજમાં તાજેતરમાં થયેલા વરસાદ બાદ જમીનમાં ઉતરેલુ પાણી બ્રીજની દિવાલના સાંધામાંથી જગ્યા કરીને ધોધસ્વરૂપે બ્રીજમાં નિકળવા લાગતા બ્રીજમાં પાણીના ખાબોચિયા ભરાયા હતા તે નજરે પડે છે. તંત્ર વાહકો આ ક્ષતી સુધારે તે જરૂરી છે.

(4:00 pm IST)