રાજકોટ
News of Tuesday, 28th June 2022

પૂ. મહાસતીજીઓના વિવિધ ઉપાશ્રયોમાં ચાતુર્માસ પ્રવેશ

ગોંડલ સ્થા. સંપ્રદાયના

ગોંડલ સંપ્રદાયના પ્રવૃર્તિની પૂ. વનિતાબાઇ મ.સા., પ્રખર વકતા પૂ. હંસાબાઇ મ.સ. આદિ તા. ૧ ના શુક્રવારે સવારે ૮ કલાકે ડો. રાજુ કોઠારીના નિવાસેથી વિરાણી પૌષધ શાળા ચાતુર્માસ પ્રવેશ, પૂ. સુશીલાજી મ.સા. ઠાણા-૪ વૈશાલીનગરથી ગીત ગુર્જરી, પૂ. સરોજબાઇ મ.સ. આદિ વૈશાલીનગરથી વિહાર કરીને ૭ કલાકે રામકૃષ્ણનગર ઉપાશ્રયે પ્રવેશ કરશે.

પૂ. નીલમબાઇ મ.સ.ા આદિ નો તા. ૩ ના જંકશન પ્લોટ ઉપાશ્રયે પૂ. હસુતાજી મ.સા. આદિ ઠાણાનો વૈશાલીનગરથી તા. ૪ ના વિમલનાથ ઉપાશ્રય ગોપાલ ચોક, પૂ. ઉષા-વીણાજી મ.સ.નો તા. ર૯ ના ભકિતનગર ઉપાશ્રય, પૂ. જશુબાઇ મ.સ.નો તા. ૭ ના સરિતા વિહાર ઉપાશ્રયે પ્રવેશ કરશે. પૂ. વિમળાજી મ.સ.નો તા. ૩૦ ના કામદાર ધર્માલયથી વિહાર કરીને રોયલ પાર્કમાં ઓમાનવાલા ઉપાશ્રયે ૭ થી ૭.૩૦ કલાકે સ્વાગત એવમ માંગલિક.

(3:19 pm IST)