રાજકોટ
News of Monday, 28th June 2021

બાર એસો.ના પ્રમુખ રાજાણી અને બાર કાઉ.ના મેમ્બરે રસીનો ડોઝ લીધો

રાજકોટ તા. ર૮ :.. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલ તથા આસી. ગર્વમેન્ટ પ્લીડર દીલીપ મહેતા, મુકેશ પીપળીયા, અતુલ જોષી તથા રેવન્યુ બારના પ્રમુખ સી. એચ. પટેલ દ્વારા ગુજરાત તથા ભારત સરકાર દ્વારા વેકસીન લેવા પ્રમોટ કરતાં હોય વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ પણ રસી મુકાવી હતી.વધુમાં મુકેશ પીપળીયા, સી. એચ. પટેલના બન્નેએ તેમના પરિવાર સાથે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. અને તમામ નગરજનોને વેકસીન લેવા અનુરોધ કર્યો હતો.

(4:48 pm IST)