રાજકોટ
News of Monday, 28th May 2018

આજે વિર સાવરકરની ૧૩૫મી જન્‍મજયંતીઃ પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ

:રાજકોટઃ મહાનગરપાલિકા દ્વ્રારા તા.૨૮ રોજ વિર સાવરકરની ૧૩૫મી જન્‍મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટર અંજનાબેન મોરજરિયા, અગ્રણી મનસુખભાઈ જાદવ, મનોજભાઈ દવે, પ્રફુલભાઈ સંગાણી તેમજ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના અમિત ચોલેરા તથા અધિકારીશ્રીઓ દ્વારા વિર સાવરકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(4:54 pm IST)