રાજકોટ
News of Monday, 28th May 2018

જૈન સાહિત્‍યકાર મનોજભાઈ ડેલીવાળાની સુપુત્રી

આરાધનાને એસએસસી બોર્ડમાં ૯૯.૯૪ પર્સેન્‍ટાઈલ : બોર્ડમાં છઠ્ઠો ક્રમાંક મેળવ્‍યો

રાજકોટ,તા.૨૮: જૈન સાહિત્‍યકાર મનોજ ડેલીવાળાની(મો.૯૮૨૪૧ ૧૪૪૩૯) સુપુત્રી ચિં.આરાધનાએ એસ.એસ.સી.બોર્ડમાં ૯૯.૯૪ પર્સેન્‍ટાઈલ રેન્‍ક હાંસલ કરી જૈન સમાજ તથા ડેલીવાળા પરીવાર તથા ધોળકીયા સ્‍કૂલનું ગૌરવ વધારેલ છે.ધોળકીયા સ્‍કૂલમાં ચોથો બોર્ડમાં છઠ્ઠો ક્રમાંક મળવેલ છે. ધોળકીયા સ્‍કૂલ ઈંગ્‍લીશ મીડિયમમાં અભ્‍યાસ કરતી આરાધના ડેલીવાળા જૈન ધર્મનું પણ સાંરુ જ્ઞાન ધરાવે છે.શ્રી આવશ્‍યક - પ્રતિક્રમણ સૂત્ર સહિત જૈન આગમની ગાથાઓ આરાધનાએ  કંઠસ્‍થ કરેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચિ.આરાધના ડેલીવાળા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની ભાણેજ,પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.ની દોહિત્રી,નૂતન દીક્ષિત પૂજય વિભૂતિજી મ.સ.ની કઝીન બહેન તેમજ લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ.નેહાલીબાઈ મ.સ.ની સંસારી ભત્રીજી થાય છે.લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ પણ ગૌરવ અનુભવે છે.આરાધના ડેલીવાળા ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરે તેવી ઠેર - ઠેરથી શુભેચ્‍છાઓ સાથે અભિનંદન મળી રહ્યાં છે.

(4:53 pm IST)