શીવાજીનગરમાં માતાએ ઠપકો આપતા કૌસર પઠાણનો ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ તા ૨૮ : થોરાળાના શીવાજીનગરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા ૧૪ વર્ષની મુસ્લીમ સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે
મળતી વિગત મુજબ શીવાજીનગર શેરી નં.ર માં રહેતી કૌસર યુસુફભાઇ પઠાણ (ઉ.વ.૧૪) એ પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો ખબર પડતા સગીરાના માત પિતા દોડી આવ્યા હતા અને જાણ કરતા ૧૦૮ ના ઇએમટી ગોવિંદભાઇએ જોઇ તપાસી તેનું મોત નિણજયુ હોવાનું જાહેર કર્યુ હતું મૃતક કૌસર પઠાણ એક ભાઇ એક બહેનમાં મોટી હતી તે ધોરણ ૯માં અભ્યાસ કરતી હતી. તેના પિતા રિક્ષા ચલાવે છે તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા તેણીએ આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યુ છે આ અંગે થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ બી.જે. જાડેજા તથા રાઇટર નારણભાઇએ તપાસ હાથ ધરી છે