રાજકોટ
News of Monday, 28th May 2018

રૈયાધારમાં અજય પંડ્યાને ૪ શખ્સોએ પાઇપથી ફટકાર્યો

મિત્રને લાલા ભરવાડે ગાળો દેતાં સમજાવવા જતાં ડખ્ખોઃ વચ્ચે પડેલા વિજયને પણ ઇજા

રાજકોટ તા. ૨૮: રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૫૭૨માં રહેતાં અજય ઓધવજીભાઇ પંડ્યા (ઉ.૨૨)ને રૈયાધાર પાણીના ટાંકા પાસે હતો ત્યારે લાલો ભરવાડ અને રાધે તથા બે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ઢીકા-પાટુ અને પાઇપથી માર મારતાં ફરિયાદ થઇ છે.

યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન. બી. ડાંગરે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ કરી છે. અજયના મિત્રને લાલો સહિતના ગાળો દેતાં હોઇ પોતે સમાધાન કરી લેવા બાબતે લાલાને સમજાવવા જતાં તેના સહિતનાએ મળી હુમલો કર્યો હતો. મિત્ર વિજય મનોજભાઇ ગોવાણી વચ્ચે પડતાં તેને પણ ઢીકા-પાટુનો માર મરાયો હતો.

(3:58 pm IST)