રાજકોટ
News of Monday, 28th May 2018

લ્હેરૃ પરિવારનું ગોૈરવઃ કૃતિકે ધો-૧૦માં મેળવ્યા ૯૮.૫૮ પર્સન્ટાઇલ

ધોળકીયા સ્કૂલના ઇંગ્લીશ મિડીયમના છાત્રનું પ્રશંસનિય પરિણામ

રાજકોટ તા. ૨૮: આજે જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં રૈયા રોડ મણીનગરમાં રહેતાં અને ધોળકીયા સ્કૂલમાં ઇંગ્લીશ મિડીયમમાં અભ્યાસ કરતાં શ્રી દેવાંગ લહેરૃ અને શ્રીમતિ ઇશિતા લહેરૃના સુપુત્ર ચિ. કૃતિક લહેરૃએ ૯૮.૮૫ પર્સન્ટાઇલ (૮૯ ટકા) સાથે ઉતિર્ણ થઇ સમસ્ત લહેરૃ (સારસ્વત બ્રાહ્મણ) પરિવારનું ગોૈરવ વધાર્યુ છે. કૃતિકે અંગ્રેજીમાં ૮૫, સોસિયલ સાયન્સમાં ૮૩, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૯૦,  મેથ્સમાં ૮૮, ગુજરાતીમાં ૮૯ અને સંસ્કૃતમાં ૯૩ માર્કસ (તમામ સબજેકટમાં એ-૨, એ-૧ ગ્રેડ) મેળવ્યા છે. તો યોગ સ્વાસ્થ્ય શા.શિ.માં થીયરી અને પ્રેકટીકલમાં એ-વન ગ્રેડ મેળવ્યા છે. કૃતિકને મો. ૯૫૧૨૮ ૪૨૮૭૦ ઉપર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(3:51 pm IST)