રાજકોટમાં થશે સૂફિ અને બોલીવુડનો અનોખો સંગમ : સુપ્રસિધ્ધ ગાયક ભાવિન શાષાી કરશે જબરી જમાવટ
ભાવિન શાષાી વ્યવસાયે એન્જિનિયર પરંતુ સંગીત પ્રત્યેના અનોખા લગાવથી તેઓ પસંદગીથી સંગીતકાર બન્યા : તેમના લાઇવ પર્ફોમન્સમાં ઓડિયન્સ રીતસર મોજમાં આવી જાય છે : તેઓએ સૂફિ સંગીતમાં જબરૂ ખેડાણ કર્યું છે : દેશ-વિદેશમાં સંગીતના અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
રાજકોટ, તા.૨૮ : અન્વેષા, સારિકા સિંહ, સુદેશ ભોંસલે, સંજીવની ભેંલાદે, મોહમ્મદ સલામત જેવા ધુરંધર ગાયકોને લાવી રાજકોટની રંગીલી સંગીતપ્રિય ઓડિયન્સને સૂરીલી સાંજની સલુણી ભેટ ધરનાર ‘તાલ તરંગ' ગ્રૂપના ભારતીબેન નાયક હવે લાવી રહ્યા છે સુપ્રસિધ્ધ ગાયક, અનન્ય દેશભક્ત, સચોટ મોટીવેટર અને સૂફી ગાયક ભાવિન શાષાીને જેઓએ નરેન્દ્રભાઇ મોદીની હાજરીથી લઇ અંબાણી હાઉસમાં અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, શાહરૂખખાન, સચીન તેંડૂલકર સામે પોતાની કળા રજુ કરી આ તમામની વાહવાહી મેળવી છે. આગામી ૯ એપ્રિલએ, હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૯.૩૦ કલાકે ભાવિન શાષાી રાજકોટીઓની વાહવાહી લૂંટવા અને સંગીતનો જાદુ ચલાવવા આવી રહ્યા છે.
ભાવિન શાષાી વ્યવસાયે એન્જિનિયર હતા પરંતુ સંગીત પ્રત્યેના અનોખા લગાવથી તેઓ પસંદગીથી સંગીતકાર બન્યા. જેણે સફળતાના અન્ય તમામ રસ્તાઓ છોડી દેવાનું નક્કી કર્યું અને સંગીતથી લાખો લોકોમાં ખુશી ફેલાવવાનું ચાલુ કર્યું. તેઓએ સૂફિ સંગીતમાં જબરૂ ખેડાણ કર્યું છે. દેશ-વિદેશમાં સંગીતના અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે.
ભાવિન શાષાીએ જીવન, સંગીત અને શોધની ક્યારેય ન સમાપ્ત થતી શોધમાં સતત પ્રવાસી રહ્યા છે. તે એક પ્રખ્યાત કલાકાર છે, જે પોતાના સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો જાદુ ફેલાવે છે. પોતાની જાત માટે, તેઓ સંગીત અને ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે કારણ કે તેઓ માને છે કે સંગીત દ્વારા જ વિશ્વ શાંતિની સ્થાપનાની શક્યતા છે. તેઓના અનેક ગીતોને લોકોએ ખુબજ વખાણ્યા છે. જેમકે, માંજી ફિલ્મનું ‘ઓ રાહી', ‘ઘેલોરે કી ગોરિયા', આવોને અલબેલા આલ્બમનું ‘મોરે મંદિર આજ બધાઇ', ‘જોગીજી મોયે જોગકી જુગત'વગેરે આ ઉપરાંત સ્ટેજ પર તેમના લાઇવ પર્ફોમન્સમાં ઓડિયન્સ રીતસર મોજમાં આવી જાય છે.
તાલ તરંગ ગ્રુપ પ્રસ્તુત ભાવિન શાષાીની અદભૂત અને અનોખી નાઈટની ટિકિટ ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ નંબર ઉપરથી મળી શકશે. સ્પોન્સર્સને ખુબ સટીક રિસ્પોન્સ મળતો હોઈ, આપ સ્પોન્સરશિપમાં જોડાવવા માંગતા હોય તો પણ ઉપરોક્ત નંબર અથવા ૭૪૩૫૦ ૪૪૭૨૧ ઉપર સંપર્ક કરી શકો છે. ઘણી વાર અલગ અલગ શોની આખા પરિવારની ટિકિટ લઈએ તો ખર્ચ ઘણો વધી જતો હોય છે. આવા ખર્ચ અટકાવવાનો બેસ્ટ ઓપશન છે આ ક્લબ ની મેમ્બરશિપ લઇ લેવી. તાલ તરંગ ની વાર્ષિક મેમ્બરશિપ લઇને આ શો ઉપરાંત પણ અન્ય ૭ શો આખા વર્ષ દરમ્યાન માણવા મળશે. સુપર-ડુપર ફિલ્મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) માણો અને સહ પરિવાર ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો. વધુ માહિતી માટે સંપર્કઃ ભારતીબેન નાયકઃ ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)
‘નમો અગેન' ગીતને લખી, કમ્પોઝ કરી રજુ કરનાર ગાયક છે ભાવિન શાષાી
તે સમયે જયારે પી.એમ. નરેન્દ્રભાઇ મોદી બીજા કાર્યકાળ પહેલા સુરતની મુલાકાતે આવેલા. સુરતમાં વર્તમાન ગૃહમંત્રી ધારાસભ્ય હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા રાષ્ટ્રના આ પ્રગતિશીલ નેતા રાષ્ટ્રની પ્રગતિમાં યુવાનોની ભૂમિકાથી સારી રીતે વાકેફ છે. સુરતમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોદીજી આવવાના હોય, સૂરતના ઇન્ડોર સ્ટેડિયમ ટાઉન હોલમાં ઉત્તેજના માત્ર શ્વાસ લેતી હતી. પીએમ સાથે વાતચીત કરવા માટે યુવા મંચ હિલોળે ચડ્યો હતો. આ શો દરમિયાન, પીએમને એક સ્લોગન રજૂ કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પણ મોદીજીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સી.આર. પાટીલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હર્ષભાઇ સંઘવી, દર્શનાબેન જરદોસ ઉપસ્થિત હતા. સૂત્ર હતું ‘નમો અગેન'. આ ગીત ભાવિન શાષાી દ્વારા લખાયેલ, નિર્મિત અને ગાયું હતું જે પાછળથી રાષ્ટ્રીય ચૂંટણી ઝુંબેશ બની ગયું. શાષાી કહે છે કે, સંગીત જીવનના તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને હા રાષ્ટ્રને ખુશીથી નમો અગેઇન મળ્યા હતા. આ કાર્યક્રમનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું