રાજકોટ
News of Tuesday, 28th March 2023

ધો. ૧૦માં સંસ્‍કૃતના સહેલા પ્રશ્નપત્ર સાથે શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂરી

ધો. ૧૦માં તમામ વિષયોના પ્રશ્નપત્રો એકંદરે સહેલા નિકળ્‍યા

રાજકોટ તા. ૨૮ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધો. ૧૦ની પરીક્ષા આજે સંસ્‍કૃતના સહેલા પ્રશ્નપત્ર સાથે પૂરી થઇ છે. આજે છેલ્લા દિવસે અન્‍ય ભાષાના પ્રશ્નપત્ર હતા જે પણ સહેલા નિકળ્‍યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્‍ન થતા શિક્ષણ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૦ની પરીક્ષા કુલ ૯૫૬૭૫૩ પરીક્ષાર્થીઓએ આપી હતી. ધો. ૧૦માં તમામ પ્રશ્નપત્રો એકંદરે સહેલા નીકળ્‍યા છે. ધો. ૧૦ની પરીક્ષા પૂર્ણ થતાં રાજ્‍યના ૬૦ હજારથી વધુ શિક્ષકો ઉત્તરવહી મૂલ્‍યાંકન કાર્યમાં જોડાયા છે.

(4:25 pm IST)