રાજકોટ
News of Sunday, 28th February 2021

નવલનગરમાં અમિત પાંડે અને હિરેન ગુપ્તાની ગુંડાગીરી: ખુરશીમાંથી ઉભા થવાનું કહી સાહિલને છરી ઝીંકી: રિક્ષામાં મુકવા કેમ ન આવ્યો કહી વસીમને છરી ઝીકી ઘૂસતાવ્યો

રાજકોટઃ શહેરના નવલનગરમાં રાતે બે શખ્સો અમિત પાંડે અને હિરેન ગુપ્તાએ ગુંડાગીરી આચરી છરીથી હુમલા કરી 2 યુવાનને ઘાયલ કરી ઢીકા પાટું પણ માર્યા હતા. આ અંગે માલવીયા નગર પોલીસે 2 ગુના દાખલ કર્યા છે.

સાહિલ અમીતભાઇ પરમાર (રહે. નવલનગર શેરી નં-૯/૧૮ નો ખૂણો વાછરાદાદાના મંદિર પાસે)ની ફરિયાદ પરથી અમીત પાંડે અને હિરેન કમલેશભાઇ ગુપ્તા રહે. બંને રાજકોટ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.ફરીયાદી પોતાના ઘર બહાર ખુરશી પર બેઠા હોય દરમ્યાન આ કામનાઆરોપીઓએ ફરીયાદી પાસે જઇ અને ખુરશીમાંથી ઉભા થવાનું કહેતા ફરીયાદીએ ઉભા થવાની ના પાડતા આરોપી નં-૧ નાએ તેને છરીનો એક ઘા માથામાં મારી તથા બને આરોપીઓએ ઢીકા પાટુનો મુંઢ માર મારી ગાળો આપી એકીબીજાની મદદગારી કરી હુમલો કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં વસીમભાઈ રફીકભાઇ દલ (ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.નવલનગર કૈલાશનગર શેરી.ન.2)ની ફરિયાદ પરથી પોલીસે હિરેન કમલેશભાઇ ગુપ્તા તથા અમીત પાંડે વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી પોતાના ઘર બહાર બેઠા હોય દરમ્યાન આરોપીઓએ તેની પાસે જઈ અમને તારી રીક્ષા લઇ મુકવા કેમ આવેલ ન હતો તેમ કહી ઇંટનો એક ઘા માથામાં મારી ઢીકાપાટુંનો મુંઢ માર મારી ગાળો આપી હતી. બંને બનાવમાં હેડકોન્સ્ટેબલ એ. જે. કાનગડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:34 am IST)