મધરવાળાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી રફાળાનો મયુર રાઠોડ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો
રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ પર મધરવાળામાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી રફાળાનો વાલ્મીકી શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ભગાળી જતા કુવાડવા પોલીસ મથકમાં ફરયિાદ થઇ છે.
મળતી વિગત મુજબ મધરવાડામાં રહેતી ૧૭ વર્ષની સગીરા સાત દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન સગીરાના ઘર પાસે અગાઉ ઘણી વખત ચક્કર મારતો રફાળાનો મયુર ભુપતભાઇ રાઠોડ નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હોવાની શંકા જતા પરિવારજનોએ ફિાળા જઇને તપાસ કરતા મયુરના ઘરે તાળા મારેલા હતા બાદ તેના ભાઇ પાસેથી મયુરના મોબાઇલ નંબર મેળવી ફોન કરતા ફોન બંધ આવતો હતો. આથી આ મયુર રાઠોડ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાનુ જાણવા મળતા સગીરાની માતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મયુર રાઠોડ વિરુધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇએમ સી.વાળા તથા રાઇટર હિતેષભાઇ ગઢવીએ તપાસ હાથધરી છે.