રાજકોટ
News of Thursday, 28th February 2019

રાજકોટના હિરાસર ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને કેન્દ્ર સરકારની મંજૂરી

 

નવી દિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાત અને રાજકોટ માટે મહત્વની જાહેરાત કરી છે.કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના રાજકોટના હીરાસર ખાતે ન્યૂ ગ્રીનફીલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે.

   બીજી તરફ કેન્દ્રીય કેબિનેટે જમ્મુ અને કશ્મીરમાં લાગુ પડતા આરક્ષણ અધિનિયમમાં સુધારો કર્યો છે. સંસદ દ્વારા બંધારણનું સંશોધન રજૂ કરીને આર્થિક આરક્ષણ આપવામાં આવ્યું છે. તે હવે કાશ્મીરમાં પણ લાગુ પાડવામાં આવશે.

(10:18 pm IST)