રાજકોટ
News of Thursday, 28th February 2019

પાંજરાપોળમાં સુકુ ઘાસ તથા ખોળ અર્પણ

રાજકોટઃ રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળમાં ગૌમાતાઓને કિશોરભાઇ રામજીયાણી અને રેખાબેન રામજીયાણી દ્વારા દીલસુખભાઇ માણેકચંદ શેઠનાં પ્રયત્નોથી રૂ.૫૦,૦૦૦/ નું સુકુ ઘાસ તથા રૂ.પ૦,૦૦૦/નો ખોળ અર્પણ કરવામાં આવેલ સાથોસાથ કીશોરભાઇ રામજીયાણીએ તા.૧-૩નાં રોજ પાંજરાપોળમાં કામ કરતા ૧૧૦ કામદાર ભાઇ-બહેનોને જમાડવા માટેનું પણ અનુદાન આપેલ. મુકેશભાઇ બાટવીયા દ્વારા શુભેચ્છા આશીષ પાઠવવામાં આવેલ હતા તથા મેનેજર અરૂણભાઇ દોશી (મો.૯૪૦૯૩ ૮૧૮૪૩) તથા જીવદયાગૃપ રાજકોટ અને પાંજરાપોળનાં સર્વે કામદાર ભાઇ બહેનો સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ પ્રસંગે પુલવામાંમાં શહીદ વીરજવાનોને શ્રદ્વાંજલી પણ અર્પણ કરવામાં આવેલ હતી.

(3:41 pm IST)