રાજકોટ
News of Saturday, 28th January 2023

પીડીયુ મેડિકલ કોલેજના ડો. શોભાના મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા

રાજકોટ તા. ૨૮: શહેરના રેસકોર્ષ પાર્કમાં રહેતાં અને પીડીયુ મેડિકલ કોલેજમાં પીએસએમ વિભાગમાં વડા તરીકે ફરજ બજાવતાં ડો. શોભા મિશ્રાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતાં ચર્ચા જાગી હતી. ગઇકાલે બપોર બાદ ડો. શોભા મિશ્રાને ગોધરા રહેતી દિકરી ફોન જોડતી હોઇ તેઓ ફોન રિસીવ કરતાં ન હોઇ પડોશીઓને જાણ કરતાં તપાસ કરતાં ઘરમાં ટીવી ચાલુ હતું અને ડો. શોભા મિશ્રા બેભાન પડયા હતાં. તેમને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. આજે તેમનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાયું હતું. પ્રાથમિક દ્રષ્‍ટીએ ઘટના હાર્ટએટેકની હોવાનું સામે આવ્‍યું છે. આમ છતાં ચોક્કસ કારણ જાણવા વિસેરા લેવામાં આવ્‍યા છે. ડો. શોભાના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે.

(3:56 pm IST)