રાજકોટ
News of Friday, 28th January 2022

રવિવારે ગાંધી નિર્વાણ દિને કતલખાના બંધ રાખવા મનપાનુ જાહેરનામુ

માંસ-મટન-મચ્છી-ચીકનનુ વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધઃ મ્યુ. કમિશ્નરનો હુકમ

રાજકોટ તા.ર૮ : આગામી તા. ૩૦ ના રોજ ''મહાત્મા ગાધંી નિર્વાણ દિન'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાંઆવ્યો છે.

આ અંગે મનપા કમિશ્નર અમિત અરોરાએ જાહેરનામા દ્વારા જણાવેલ કે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.  સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

(3:21 pm IST)