રાજકોટ
News of Friday, 28th January 2022

મવડીમાં નિવૃત ફોજીએ પરિણીતાને ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યોઃ પોલીસે સકંજામાં લીધો

આઠેક મહિના પહેલા મહિલાના નાનકડા પુત્રને રમાડવા ગયો ત્યારે દાનત બગડતાં બળજબરી કરીઃ એ પછી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધી લીધાનો આરોપઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: મવડી ગુરૂકુળ વિસ્તારમાં રહેતાં એક નિવૃત ફોૈજીએ પરિણીતા સાથે પરિચય થયા બાદ બાદ તેણીના ઘરે તેના નાનકડા દિકરાને રમાડવા જઇ બાળકને રમાડતાં રમાડતાં પરિણીતાને અડપલા કરી લઇ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધી લઇ બાદમાં કોઇને વાત કરી તો સમાજમાં બદનામ કરી દઇશ તેવી ધમકી આપી વારંવાર તેણીના ઘરે જઇ શરીર સંબંધ બાંધી લઇ તેમજ પોતાની ઘરે પણ આ પરિણીતાને બોલાવી બળજબરી કરી ધમકી આપતાં અંતે મહિલાએ ફરિયાદ કરતાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે  વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી મવડી ગુરૂકુળ રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧/૨ની વચ્ચે રહેતાં રાજેશ પ્રવિણભાઇ જોટાણીયા (કુંભાર) સામે આઇપીસી ૩૭૬ મુજબ બળાત્કારનો ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૨૦૧૬માં થયા હતાં અને સંતાનમાં ત્રણ વર્ષનો એક દિકરો છે. એકાદ વર્ષ પહેલા હું રાજેશ જોટાણીયાના સંપર્કમાં આવી હતી. તે ૨૦૧૯માં આર્મીમાંથી નિવૃત થયા હોઇ અવાર-નવાર મારી ઘરે આવતા જતાં થયા હતાં. આજથી આશરે આઠેક મહિના પહેલા તે મારા ઘરે આવેલ. ત્યારે મારા દિકરાને રમાડતાં રમાડતાં હું બાજુમાં બેઠી હોઇ મારા શરીરે અડપલા કરવા લાગતાં મેં તેને આવુ કરવાની ના પાડી હતી. આમ છતાં તેણે જબરદસ્તી કરી હતી અને મારા કપડા ઉતારી પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો.

એ પછી રાજેશે મને આ વાત કોઇને કહેતી નહિ નહિતર તને સમાજમાં બદનામ કરી નાંખશી તેવી ધમકી આપી હતી. સમાજની બીકે મેં કોઇને વાત કરી નહતોી. એ પછી તેણે અવાર-નવાર મારી ઘરે આવી ધમકી આપી શરીર સંબંધ બાંધવાનું ચાલુ કરી દીધુ હતું. આમ તેણે અનેક વખત પરાણે શરીર સંબંધ બાંધી લીધા હતાં. એ પછી રાજેશ ઘણીવાર તેના ઘરે કોઇ ન હોય ત્યારે તેના ઘરે પણ મને બોલાવતો હતો અને મારી સાથે શરીર સંબંધ બાંધી લઇ ધમકી આપતો હતો કે કોઇને વાત કરીશ તો બદનામ કરી દઇશ. અંતે હવે મેં મારા માતાને વાત કરતાં તેણે હિમ્મત આપતાં મેં ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર અને નિલેષભાઇએ ગુનો નોંધી નિવૃત ફોૈજી રાજેશ પ્રવિણભાઇ જોટાણીયાને સકંજામાં લેવા તજવીજ કરી છે. આરોપી હાલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે પણ પરિણેલો છે.

(12:43 pm IST)