રાજકોટ
News of Thursday, 28th January 2021

લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત

લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.જે.કુડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ૭રમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ ધ્વજવંદન કરી પરેડની સલામી લીધી હતી. અતિથી વિશેષ પદે ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શૈક્ષણીક-બિનશૈક્ષણીક સ્ટાફ પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષીએ પ્રાસંગીક પ્રવચન કરેલ આ તકે  શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.આ પ્રસંગે પ્રિ.તુપ્તીબહેન જોષી, પ્રિ. ગજેરા, પ્રિ.સ્મીતાબેન ઝાલા પ્રિ.પ્રિતિબેન ગણાત્રા, પ્રિ.રાજુભાઇ વ્યાસ પ્રિ. લીનાબહેન કારીયા ત્થા સ્ટાફ પરિવારે હાજરી આપી હતી.

(3:03 pm IST)