News of Saturday, 27th November 2021
ગઇકાલે કોરોનાના ૪ કેસ સાથે ૧૨ દર્દીઓ સારવારમાં
રાજકોટ : શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયો છે. ગઇકાલે સાંજે નેપાળ, રાજસ્થાન, મોરબી, ધ્રોલથી પરત આવેલ અને ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, રૈયાધાર વિસ્તારમાં રહેતા ૪૫,૪૮,૫૯ વર્ષીય પુરૂષ અને ૨૨ વર્ષની યુવતી સહિત ૪ વ્યકિતનાં રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા તંત્ર ઉંધા માથેઃ દર્દીઓનાં પરિવારજનોના કોરોના ટેસ્ટ કરાયાઃ ગઇકાલે ૧૮૪૪ લોકોના ટેસ્ટ થયાઃ શહેરમાં આજ દિન સુધીમાં કુલ આંક ૪૨,૮૬૭એ પહોંચ્યો છે. આજ દિન સુધીમાં ૪૨,૩૯૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ ૯૮.૮૯ ટકા થયો. હાલમાં ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
(3:24 pm IST)