કોવિડ હોસ્પિટલમાં આગ અને મૃત્યુની ઘટના અંગે દુઃખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ
રાજકોટ તા. ૨૭ : શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગથી દર્દીઓના થયેલ મૃત્યુની ઘટના સંદર્ભે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.
મશીનરીમાં ફોલ્ટના કારણે સર્જાયેલ આ બનાવથી સ્વજનો ગુમાવનાર મૃતકોના પરિવારોને સાંત્વના આપી છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધેલ. તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઘટના અંગે મેયર તથા મ્યુ. કમિશ્નરને ફોન કરી માહીતી મેળવી સંવેદના વ્યકત કરી હતી.