News of Tuesday, 27th November 2018
રૈયાધાર વિસ્તારમાં ભુગર્ભ ગટરનો પ્રશ્ન હલ
ઘરે-ઘરે ૧૦.૩૮ કરોડના ખર્ચે ડ્રેનેજ કનેકશનઃ વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઇ આહીર સહીતના કોર્પોરેટરોના પ્રયત્ન સફળ
રાજકોટ, તા., ૨૭: શહેરના વોર્ડ નં.૧ માં આવેલ વિસ્તારો રૈયાધાર ઇન્દીરાનગર મારવાડીનગર ચુનાનો ભઠ્ઠો વિસ્તાર, શાસ્ત્રીનગરનું મફતીયું વિગેરે વિસ્તારોમાં ભુગર્ભ ગટર યોજના મંજુર કરી છે ત્યારે ટુ઼ક સમયમાં ઉપરોકત તમામ વિસ્તારોને આ યોજનાનો લાભ મળશે.
આ પ્રશ્ને આ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર બાબુભાઇ આહીર, આશીષભાઇ વાગડીયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયાની રજુઆત અને અથાગ પ્રયત્નોથી આ પ્રશ્ન અંતે હલ થયો. આ કામ રૂ. ૧૦.૩૮ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યું હોવાનું બાબુભાઇ આહીરની યાદીમાં જણાવાયું છે. (૪.૮)
(4:01 pm IST)