રાષ્ટ્ર સંચાલન અંગે મોકસેશન
રાજકોટની વિવિધ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે એસએનકે, આરકેસી, શકિત અને કર્મયોગ એકેડમીના ખૂબ જ મહેનતુ કિરોનું જૂથ માટે રાષ્ટ્રનું સંચાલન કેવી રીતે કરવું જોઇએ તે અંગે કર્મયોગ એકેડમી ખાતે મોકસેશન યોજવામાં આવ્યું હતું. સંચાલન સમિતિમાં જિયા શુક્લા, પ્રિયાંશુ ગૌસ્વામી અને પ્રણવ મહેતાએ વિદ્યાર્થીઓને અલગ અલગ વિચારધારાઓ અને લોકશાહી વિશે તાલીમ આપી હતી. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાશાષાી અંશ ભારદ્વાજ વિશેષ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સરકાર વિશે જાગૃતિ લાવવા, કિશોરોની માનસિકતાને આકાર આપવા, પરિપકવ ભાવિ નાગરિકો બનાવવા અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓનું ખુદની એક અનોદી ઓળખી બનાવવામાં મદદ કરવાનો છે. કાર્યક્રમનું સંચાલન રિયા ભગદેવે સંભાળ્યુ હતું.