News of Monday, 27th September 2021
મનોહરસિંહજી જાડેજાની આજે ત્રીજી પુણ્યતિથિ
રાજકોટઃ 'દાદા' ના હુલામણા નામ તરીકે ઓળખાતા એવા સ્વ. મનોહરસિંહજી જાડેજાની આજે ત્રીજી પુણ્યતિથિ છે. રાજકોટના પૂર્વ રાજવી, કવિ, લેખક અને એક અદ્વિતીય નેતૃત્વકર્તા, શાનદાર વકતા અને અદભૂત વ્યકિતત્વ ધરાવતા ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મનોહરસિંહજી દાદાનું દુઃખદ નિધન થયુ હતુ. તેઓ રાજયના નાણામંત્રી અને આરોગ્યમંત્રીપદે પણ રહી સેવા આપી હતી. પ્રજાહીત માટે અનેક કાર્યો કર્યા હતા.
(3:46 pm IST)