મોરબીના રંગપરમાં એમપીના યુવાન શેતાન મોહનીયાનો ઝેર પી આપઘાત
પાંચ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું: પત્નિ હાલમાં સગર્ભા
રાજકોટ તા. ૨૭: મોરબીના રંગપર બેલા ગામે છગનભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશનાશેતાનબાબુભાઇ મોહનીયા (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે છએક વાગ્યે વાડીએ ઝેર પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. શેતાનના ભાઇ અર્જુનના કહેવા મુજબ શેતાનને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે અને હાલમાં તેની પત્નિ સગર્ભા છે. જે ડિલીવરી કરવા વતનમાં ગઇ છે. શેતાને સાંજે દવા પી લીધી હતી. રાતે દસેક વાગ્યે તેને ઉલ્ટીઓ થવા માંડતાં તેને પુછતાં પોતે ઝેર પી ગયાનું કહેતાં તુરત જ મોરબી અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો. તે બેભાન હાલતમાં જ મોતને ભેટ્યો હોઇ કારણ જાણી શકાયુ નથી.