News of Monday, 27th July 2020
જય ભોલેનાથ
રાજકોટઃ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર છે. ભોળાનાથના મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ભાવિકો દર્શન કરી રહ્યા છે. ઉકત ભાવિકો દર્શન કરી રહ્યા છે. ઉકત તસ્વીરોમાં પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને તેમના ધર્મપત્ની શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ શ્રી આશુતોષ મહાદેવ મંદિરે શિવલીંગને અભિષેક કરી રહ્યા છે. અન્ય તસ્વીરોમાં ભકિતનગર સર્કલ નજીક આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવભકતો ભોળાનાથને રીઝવતા દ્રશ્યમાન થાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:43 pm IST)