રાજકોટ
News of Monday, 27th June 2022

લાલપરીની ૭ વર્ષની બાળા રિધ્‍ધીનું મોતઃ બે દિવસથી તાવ આવતો હતો

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી પાછળ લાલપરીમાં રહેતી ૭ વર્ષની બાળા રિધ્‍ધી હસમુખભાઇ છાલાણી (કોળી)નું તાવથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

રિધ્‍ધીને બપોરે બેભાન જેવી હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્‍યું હતું. તે ત્રણ બહેનમાં મોટી હતી. પિતા બંગડીના કારખાનામાં કામ કરે છે. બે ત્રણ દિવસથી રિધ્‍ધીને તાવ આવતો હતો અને ઉલ્‍ટીઓ પણ થતી હતી. આજે બેભાન થઇ ગયા બાદ હોસ્‍પિટલે ખસેડાતાં મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:24 pm IST)