જય સોમનાથ...ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ
રાજકોટઃ શહેરની જાણીતી સંસ્થા શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રાજકોટથી ૬૦૦ થી વધુ બહેનો માટે સોમનાથ, તુલસીશ્યામ, સતાધાર, પરબવાવડી વગેરેની યાત્રાનું આયોજન કરવામાં આવેલ. ટ્રસ્ટ દ્વારા બાબુભાઇ હિરાણી પરિવારના યજમાન પદે સોમનાથમાં શિવજીના જયઘોષ સાથે પૂજનવિધિ કરી ધ્વજારોહણ કરવામાં આવેલ. આયોજનની સફળતા માટે પ્રમુખ સંજય હિરાણી ઉપરાંત પરસોતમ કોટડીયા, ગૌતમ પટેલ, રમેશ વિરાણી, મનસુખ હિરાણી, પરેશ પીપળીયા, અશોક ટોપીયા, પ્રદીપ અકબરી, ચંદ્રેશ ડોબરીયા, રજની મોલીયા, વિજય વોરા, નિલેશ મુંગરા, જયંતી લીંબાસીયા, મલ્કેશ પરમાર ઉપરાંત અરવિંદ સંઘાણી, ઘેલાભાઇ ટોપીયા, બીપીન હિરાણી, ભગવાનજી વેકરીયા, વિનુ ધામેલીયા, રાજુ ઠુંમર, હરેશ ડોબરીયા, મયુર કીયાડા, રજની દુધાત્રા, છગન પરસાણા, અશ્વિન શંખાવરા, જીતુ તળપદા, પ્રકાશ મોરડીયા, મહેન્દ્ર ગણાત્રા, રમેશ પરસાણા તેમજ મહિલા સમીતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ પ્રમુખ સંજય હિરાણી જણાવે છે.