પાંચ માસ પહેલા જ લવમેરેજ કરનારા સચીન મોરેનો ફાંસો ખાઇ આપઘાત
નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં બનાવઃ પિતા નિવૃત એસઆરપીમેનરાજકોટ તા. ૨૭ઃ ઘંટેશ્વર નજીક નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાનનગર સનરાઇઝ-૨ એપાર્ટમેન્ટ બીજા માળે ફલેટ નં. ૨૦૪માં રહેતાં સચીન રઘુનાથ મોરે (ઉ.૩૨) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચ મહિના પહેલા જ સચીને લવમેરેજ કર્યા હતાં.
આપઘાત કરનાર સચીન બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે ડ્રાઇવીંગ કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ સચીને તેના રૃમમાં જઇ લુંગી પંખામાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કારણ જાણવા મળ્યું નથી.
સચીને પાંચ મહિના પહેલા જ ઘંટેશ્વરની દેવાંગી સાથે લવમેરેજ કર્યા હતાં. થોડા દિવસથી તેણી તેના માવતરે છે. સચીનના પિતા રઘુનાથભાઇ નિવૃત એસઆરપીમેન છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. કારણ જાણવા યુનિવર્સિટીના એએસઆઇ હમીરભાઇએ તપાસ યથાવત રાખી છે.