રાજકોટ
News of Monday, 27th May 2019

જામટાવર ચોક ફૂટપાથ પર ગરમીના લીધે માનસીક અસ્થીર મહિલાનું મોત

પ્રનગર પોલીસે ચૂંટણીકાર્ડના આધારે ભરૂચ સંપર્ક કરી મહિલા સુરજબેન જાદવના વાલી વારસને શોધી કાઢયા

રાજકોટ તા.૨૭: જામટાવર ચોક પાસે ફૂટપાથ પર માનસીક અસ્થીર મહિલાનું ગરમીના લીધે બેભાન થયા બાદ તેનું સ્થળપરજ મોત નિપજ્યું હતુ.ં પોલીસે તેના ચૂંટણીકાર્ડના આધારે તેના સગા સંબંધીને શોધી કાઢયા હતા.

મળચતી વિગત મુજબ જામટાવર ચોક પાસે ફુટપાથ પર એક ૪૦ વર્ષની અજાણી મહિલા બેભાન હાલતમાં પડી હોવાની જાણ કોઇએ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.પટેલ અને રાઇટર રામભાઇએ સ્થળપર પહોંચી તપાસ કરતા મહિલાના થેલામાંથ તેનું ચૂંટણી કાર્ડ મળી આવ્યુ હતું. જેમાં તેનુંનામ સુરજબેન કાભાભાઇ જાદવ (ઉ.વ.૪૦) અને ભરૂચના જંબુસર તાલુકાના વેડાછગામનું સરનામુ લખ્યુ હતું. બાદ વધુ તપાસ કરતા આ મહિલા માનસીક અસ્થીર અને છેલ્લા ઘણા સમયથી તે રેનબસેરામાં રહેતા હતા. બાદ પોલીસે ચૂંટણી કાર્ડના આધારે ભરૂચના વેડછાગામની શાળાનો સંપર્ક કરી મહિલાના સગાસંબંધીને શોધી કાઢયા હતા.

(3:57 pm IST)